Subscribe Us

સાવરકુંડલા માનવ મંદિરે માનવ મંદિર કોવિડ કેર સેન્ટર ટૂંક સમયમાં શરૂ કરવાની આપી કલેકટરશ્રીએ સૂચનાઓ..

કોરોના ની વધતી જતી મહામારીને ધ્યાને લઇને સાવરકુંડલા માનવ મંદિર ના પૂજ્ય ભક્તિ બાપુ અને સાવરકુંડલા લાઇફ કેર હોસ્પિટલના ડોક્ટર વોરા ની મદદથી અમરેલી જિલ્લા કલેકટરને સાવરકુંડલા માનવ મંદિર દ્વારા આ કપરી પરિસ્થિતિમાં ઉપયોગી થવા ની વિનંતી માન્ય રાખી ને માનવ મંદિર કોવિડ કેર સેન્ટર ની 100 બેડની કોવિડ કેર સેન્ટર ટૂંક સમયમાં શરૂ થનાર છે આજે અમરેલી કલેકટર આયુષ ઓક જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ સાવરકુંડલા પ્રાંત અધિકારી ગોહિલ મામલતદાર દેસાઈ ડોક્ટર મીના ડોક્ટર મયુર પારગી તાલુકા પંચાયતની ટીમ દ્વારા માનવ મંદિર માં શરૂ થનાર કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ જરૂરી સૂચનાઓ આપી શક્ય તેટલું ઝડપથી આ સેવા શરૂ કરવા જણાવ્યું હતું ત્યારે બહુ ટૂંક સમયમાં જ સાવરકુંડલા માનવ મંદિરના સેન્ટ્રલ હોલમાં 100 બેડ કાર્યરત શરૂ થશે અને ભવિષ્યમાં ઓક્સિજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.. ત્યારે સાવરકુંડલા માનવ મંદિર તરફથી પૂરજોશમાં તૈયારી શરૂ કરી દીધેલ છે અને લગભગ પૂર્ણતાને આરે પહોંચી છે અને બે ચાર દિવસમાં માનવ મંદિર કોવિડ કેર સેન્ટર કાર્યરત થઈ જશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ