આમ તો દેશમાં ઘણાં સ્થળો પર માતાજીના મંદિર છે, જેમાંથી ઘણાં મંદિરમાં ઔલોકિક ચત્મકાર પણ જોવા મળે છે. પરંતુ દેવી મંદિરોમાંથી સૌથી મુખ્ય 51 શક્તિપીઠ માનવામાં આવે છે. તેમજ દેવીમાં પર્વતવાળા માતાજીના નામથી પણ ઓખવામાં આવે છે,કારણ કે તેમનું આવાસ મુખ્ય રૂપથી પર્વતો પર માનવામાં આવે છે. એવામાં આજે અમે તમને પર્વતોમાં સ્થિત એક આવા જ મંદિર વિશે જણાવીશું, જેમના વિશે ખૂબ ઓછો લોકો જાણતા હશે.
માતાજીનું આ શક્તિપીઠના પાછળ માન્યાતા છે કે અહી દર્શન માત્રથી એક, બે અથવા ત્રણ નહી પરંતુ સાત જન્મના પાપમાંથી મુક્તિ મળે છે. ઘણીવાર જ્યારે સારા કર્મો કરવા છતાં આપણે સ્વયં જ દુ:ખ અને તકલીફ સહન કરતા હોય છે અને આપણે લાગે છે કે આ જન્મમાં તો બધું જ સારૂ કર્યું છે. જે બાદ આપણને મને મન જ વિચારતા હોય છે કે આ કદાચ ગત જન્મનો કોઈ પાપ છે. આ સમયે લોકો માતાજીના આ શક્તિપીઠના દર્શનના ચરણે જાય છે.
51 શક્તિપીઠમાં એક જે મંદિરનો અમે ઉલ્લેખ કરી રહ્યાં છે તે દેવભૂમિ ઉત્તરાખંડના ટિહરી જનપદમાં આવેલું છે. આ સુરકુટ પર્વત છે. આ પર્વત સાંકળ સમુદ્ર સપાટીથી 9995 ફૂટ ઊંચાર પર આવેલો છે. પર્વત પર સ્થાપિત મંદિરનું નામ સુરકંડા દેવી છે. મંદિરમાં દેવી કાળીની પ્રતિમા બિરાજમાન છે. મંદિરમાં થઈ રહેલી મનોકામનાને લઈને કેદારખંડ તેમજ સ્કંદ પુરાણમાં એક કથા મળે છે. તેમના અનુસાર આ સ્થાન પર પ્રાર્થના કરીને દેવરાજ ઈન્દ્રએ પોતાનું ગુમાવેલું રાજ્ય પરત મેળવ્યું હતું.
પૌરાણિક કથાઓ અનુસાર, રાજા દક્ષના પુત્રી સતીએ ભોળાનાથને પોતાના વરના રૂપમાં પસંદ કર્યા હતાં. પરંતુ તેની આ પસંદગી રાજા દક્ષને સ્વીકાર નહતી. એકવાર રાજા દક્ષે એક વૈદિક યજ્ઞનું આયોજન કર્યુ. તેમાં પણ બધાંને આમંત્રિત કર્યા પરંતુ શિવજીને આમંત્રણ ન મોકલ્યું. ભોળાનાથે લાખ સમજાવ્યાં છતાં દેવી સતી પોતાના પિતાના યજ્ઞમાં સામેલ થયાં ગઈ. અહી ભગવાન શિવના સામે બધાંએ કરેલી અપમાન જનક ટિપ્પણીથી તે અત્યંત હતાશ થયાં. ફળસ્વરૂપ તેમણે યજ્ઞ કુંડમાં પોતાના પ્રાણ ત્યાગી દીધાં.
ભગવાન શિવને જ્યારે દેવી સતીના મૃત્યનુ સમાચાર મળ્યાં તો તે અત્યંત દુખી અને નિરાશ થઈ ગયાં અને સતી માતાના પાર્થિવ શરીરને ખભા પર લઈ હિમાલયની તરફ નિકળી ગયાં. ભગવાન શિવના ગુસ્સાને, દુ:ખને સમાપ્ત કરવા માટે અને સૃષ્ટિને ભગવાન શિવના તાંડવથી બચાવવા માટે શ્રીહરિએ પોતાના સુદર્શન ચક્રને સતીના નશ્વર શરીરને ધીમે-ધીમે કાપવા માટે મોકલ્યું. સતીના શરીરના 51 ભાગ થયા અને તે ભાગ જ્યાં પડ્યા તે પવિત્ર શક્તિ પીઠની સ્થાપના થઈ. જે સ્થાન પર માતા સતીનું માથું પડ્યું તે સિરકંડા કહેવાયું જે વર્તમાન સમયમાં સુરકંડા નામથી પ્રસિદ્ધ છે.
મંદિરમાં લાડવો, પેંડા અને માખન-મિશ્રીનો પ્રસાદ તો તમે ખૂબ ખાધો હશે. પરંતુ સુરકંડા દેવી મંદિરમાં અલગ જ પ્રકારના પ્રસાદ મળે છે. અહી પ્રસાદ રૂપમાં ભક્તોને ગુલાબના પાંદડા આપવામાં આવે છે. આ ઔષધીય ગુણોથી પણ ભરુપૂર હોય છે. માન્યતા છે કે આ પાંદડાને જે સ્થાન પર રાખવામાં આવે ત્યાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. સ્થાનિક નિવાસીઓ દેવવૃક્ષ માને છે. આ જ કારણ છે કે આ વૃક્ષના લાકડાનો ઉપયોગ પૂજા ઉપરાંત કોઈ અન્ય કાર્ય એટલે કે ઈમારતો અથવા અન્ય વ્યવાસાયિક સ્થળો પર નથી કરવામાં આવતો.
સિદ્ધપીઠમાં સુરકંડા મંદિરના દ્વાર આખું વર્ષ ખુલ્લા રહે છે. માતાજીના દરબારથી બદ્રીનાથ, કેદારનાથ, તુંગનાથ, ચૌખંબા, ગૌરીશંકર અને નીલકંઠ સહિત અન્ય ઘણાં પર્વત સાંકળો જોવા મળે છે. મંદિરના પૂજારી જણાવે છે કે આ મંદિરમાં જે પણ ભક્ત સાચા મનથી દર્શન કરે છે. તેના સાત જન્મોના પાપ નષ્ટ થાય છે. તેમના જણાવ્યા મુજબ, આમ તો માતાજીના દર્શન ગમે ત્યારે કરી શકાય છે. પરંતુ ગંગા દશેરા અને નવરાત્રિ બે પાવન પર્વ એવા છે જ્યારે માતાજીના દર્શનોનુ વિશેષ મહત્વ માનવામાં આવે છે. માન્યતા છે કે માતાજીના દર્શન માત્રથી જ શ્રદ્ધાળુઓના તમામ દુખો દૂર થાય છે. આ જ કારણ છે કે આ મંદિરના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે.