બનાસકાંઠાના દાનેરાના વતની અને છેલ્લા 30 વર્ષથી પણ વધારે સમયથી હોંગકોંગમાં કે.પી.સંઘવીની ઓફિસનું સંચાલન કરતાં ભરતભાઈ ગીરધરલાલ મહેતાની દીકરી પરીશી મહેતાએ હોંગકોંગ ખાતે સાયકોલોજીમાં ડીગ્રી મેળવી છે. પરીશી ત્રણ વર્ષ પહેલા ભારત આવી હતી તે દરમિયાન નાનીમાં ઈન્દુબેન શાહ સાથે દેરાસર જતાં જ પરીશીને જૈન સાધવીઓ સાથે સમય પસાર કરવાની ઈચ્છા થતાં તે જૈન સાધવીઓ સાથે જ રહેતી હતી.

            
હેતલબેન પણ દીકરી પરીશી અને પુત્ર જૈનમના લગ્ન બાદ દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું પરંતુ તે પહેલા પરીશી જ દિક્ષાનું મુહૂર્ત કઢાવ્યા વગર હોંગકોંગ ન જવાની જીદ પકડી હતી. આથી પરીશી મહેતાની સાથે હેતલબેન મહેતા અને ઈન્દુબેન શાહએ પણ દિક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી આગામી 22 મે 2021ને વૈશાખ સુદ 10ના રોજ સુરત ખાતે આચાર્ય ભગવંત તપરત્નસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં દિક્ષા અંગીકાર કરશે અને ગુરૂજી સાધ્વી હિતદર્શનીશ્રીજી બનશે. કોરોનાની મહામારીમાં પણ સુરતમાં રહેતું મૂળ બનાસકાંઠાનું જૈન દંપતી સંયમના માર્ગે પ્રયાણ કરશે. દંપતીની ચાર દીકરીઓ દીક્ષા લઈ ચુકી છે. તેમના કુંટુબમાં અત્યાર સુધી કુલ 14 સભ્યો દીક્ષા લઈ ચુક્યા છે. પરિવારના મોભીએ પોતાના ડાયમંડ બિઝનેસને ચાર વર્ષ પહેલા જ અલવિદા કહી દીધો હતો.
સુરતમાં કૈલાશનગર ખાતે રહેતો પરિવાર અસાર સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે વળ્યો છે. જેમાં પરિવારનાં છ સભ્યો પૈકી ચાર દીકરીઓએ તો દીક્ષા લઈ લીધી છે. હવે માતા-પિતા અશોકભાઇ વીરચંદભાઇ શાહ અને પત્ની દીપીકાબેન પણ 24 ફેબ્રુઆરીએ સંયમના માર્ગે પ્રયાણ કરશે અને તેમના ઘરનો દરવાજો કાયમી માટે બંધ થઈ જશે.

અશોકભાઇ મૂળ બનાકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા ગામના વતની છે. તેમણે કહ્યું કે, 4 વર્ષ પહેલા જ ડાયમંડ બિઝનેસને અલવિદા કહી દીધું હતું. પત્ની સાથે ચાર વર્ષથી ગુરુકુળવાસમાં જ રહીએ છીએ. દીક્ષાનો ભાવ તો ઘણાં સમયથી હતા અને અમારી ચારેય દીકરીઓ સંયમના માર્ગે ગયા બાદ અમારા દીક્ષાના ભાવ વધુ તેજ બન્યા હતા. આટલા વર્ષો સંસારમાં કાઢ્યા બાદ એ સમજાયું કે સાચું સુખ સંસારમાં નહીં સંયમમાં જ છે. 1 હજાર કિલોમીટરનો વિહાર પણ કરી ચુક્યા છે.

દંપતી સાથે તેમના નજીકની સબંધીની પુત્ર રાજવી પ્રકાશભાઈ શાહ પણ સંયમના માર્ગે પ્રયાસ કરશે. આ દીક્ષાર્થીઓએ મુંબઈ લાલબાગ ખાતે જૈનાચાર્ય કિર્તીયશસૂરિશ્વરજી મ.સા. પાસેથી પ્રવ્રજ્યા મુહૂર્ત લીધું હતું.


અશોકભાઇના કુટુંબમાં પહેલા 14 દીક્ષા થઈ છે
અશોકભાઇ શાહના કુંટુંબમાં અગાઉ 14 દીક્ષા થઈ ચૂકી છે. તેમાં તેમની ચાર પુત્રી, પપ્પા, કાકા, ફોઈ, મોટા ભાઈ ભાભી, મોટા ભાઈ અને નાના ભાઈની બે બે દીકરીનો સમાવેશ થાય છે.

રાજવી શાહે બી.કોમનું લાસ્ટ યર છોડી સંયમજીવન પસંદ કર્યું
દિક્ષાર્થી રાજવી શાહે કહ્યું કે, બી.કોમનો અભ્યાસ ચાલુ હતો એ જ સમયે મહારાજ સાહેબના વ્યાખ્યાનો સાંભળ્યા અને દિક્ષાના ભાવ જાગૃત થયા હતા અને લાસ્ટ યરમાં કોલેજને બાયબાય કહી દીધું હતું. અગાઉ કુકિંગ, મ્યૂઝિક, ટીવી જોવાના શોખ હતા પણ હવે એ પણ છૂટી ગયા. ત્રણ વર્ષથી ગુરુકુળવાસમાં જ છું.