દેશ-દુનિયામાં કોરોના વેક્સિન આવવાનાં સમાચાર તેજ ચાલી રહ્યા છે, આ દરમિયાન ભારતમાં કોરોના રસીકરણનાં માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઇ છે, ખરેખર તો ભારતમાં રસીકરણ માટે લગભગ 82 લાખ રસીકરણ કેન્દ્ર છે.

આ કેન્દ્રો સાર્વભૌમિક ટેસ્ટ કાર્યક્રમ (યુઆઇપી) હેઠળ બનાવવામાં આવેલું મુળભુત માળખું છે, જે દુનિયાનું સૌથી મોટું નેટવર્ક માનવામાં આવે છે, જો કે દેશમાં શરૂઆતનાં રસિકરણનાં ફેઝ-1માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી) અને અન્ય કેન્દ્રોનો ઉપયોગ કરવામાં આવશે. 

યુઆઇપી સમીક્ષા અને બહુ વર્ષીય યોજના દસ્તાવેજ મુજબ દેશમાં 81.87 લાખથી વધુ રસિકરણ કેન્દ્ર છે, જ્યાં વિવિધ પ્રકારની રસી લગાવવામાં આવે છે, જો કે તેમાં મોટાભાંગનાં કેન્દ્રોની શરૂઆત ત્યારે થશે જ્યારે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સનું રસીકરણ બાદ અન્ય લોકોને રસી લગાવવાનું કામ શરૂ થશે.

કોવિડ રસિકરણનાં પહેલા ફેઝની તૈયારીઓમાં લાગેલા રાષ્ટ્રિય આરોગ્ય મિશન (NHM)નાં ઘણા અધિકારીોએ જણઆવ્યું કે પહેલા ફેઝ માટે તમામ રાજયો માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો ઉપયોગ કરશે, અથવા પીએચસીથી વધુ સારી સુવિધાવાળા કેન્દ્રોનો પ્રયોગ કરવામાં આવશે.

આ છે સરકારની યોજના

મહારાષ્ટ્રમાં NHM મિશનનાં ડાયરેક્ટર રામાસ્વામી એનએ જણાવ્યું, સુચનાઓ અનુસાર કોવિડ રસિકરણ માટે તમામ રાજ્ય યૂપીઆઇ નેટવર્ક અને માનવ સંસાધનોનો ઉપયોગ કરશે, જેમાં બીડીએસ ડોક્ટર વધુ NHM રસી લગાવશે.

જો કે રસીકરણનાં પહેલા ફેઝમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી લગાવવામાં આવશે, આ દરમિયાન જાહેર આરોગ્ય કેન્દ્રો અને તેની ઉપરની સુવિધાવાળા કેન્દ્રોને રસીકરણ પોઇન્ટ બનાવી આપવામાં આવશે.