Subscribe Us

અમિત શાહનો બંગાળ પ્રવાસઃ ખેડૂતના ઘરે પતરાળામાં કર્યુ ભોજન

બંગાળમાં મમતા બેનરજીને વિધાનસભાની ચૂંટણીઓમાં હરાવવા માટે ભાજપે પોતાની પૂરી તાકાત કામે લગાવી દીધી છે.

ભાજપના ટોચના આગેવાન અને ગૃહ મંત્રી અમિત શાહ ફરી વખત બંગાળના પ્રવાસે છે.અમિત શાહે ફરી એક વખત લંચ ડિપ્લોમસી અમલમાં મુકીને મેદિનીપુર જિલ્લાના બેલીજૂરી ગામના એક ખેડૂત સનાતનસિંહના ઘરે ભોજન કર્યુ હતુ.તેમની સાથે બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને રાજ્યના ભાજપ પ્રમુખ દિલિપ ઘોષ પણ હતા.

આ પહેલા પણ અમિત શાહ બંગાળના પ્રવાસે ગયા હતા ત્યારે આદિવાસીના ઘરે તેમણે ભોજન લીધુ હતુ.મતુઆ સમુદાયના વ્યક્તિના ઘરે ભોજન લઈને અમિત શાહે આડકતરી રીતે આ સમુદાયને પોતાની સાથે કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પહેલા મિદનાપુરના સિધ્ધેશ્વરી મંદિર અને મહામાયા મંદિરમાં અમિત શાહે દર્શન કર્યા હતા.આજે તેઓ મિદનાપુરમાં એક રેલીને પણ સંબોધન કરવાના છે.અમિત શાહની હાજરીમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાય તેવી અટકળો થઈ રહી છે.

આ પહેલા તેમણે બંગાળના ક્રાંતિકારી ખુદીરામ બોઝને પણ ભાવાંજલિ આપી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ