ગીરના જંગલ માં આવેલ સોનબાઇ માં નાં મંદિરે જવાનો રસ્તો ચાલુ કરવા માટે નવા અગરિયા નાં યુવા આગેવાન રઘુવીરભાઈ વરુ મુખ્યમંત્રી ને પત્ર લખતા રજૂઆત કરી હતી કે ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામ પાસે સરાકડિયા નેસ આવેલ છે. આ નેસ માં સોનબાઇ માં નું પ્રાચીન મંદિર આવેલ છે. અહીં લોકો શ્રદ્ધા અને આસ્થા થી દર્શન કરવા આવે છે. અહીં જવા માટે વન - વિભાગના જસાધાર ચેક પોસ્ટ પાસે થી એક કિલોમીટર રસ્તો છે. પરંતુ વન - વિભાગ દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે. જેને કારણે શ્રદ્ધાળુઓ હેરાન થાય છે. અને માતાજીના દર્શન કરી શકતા નથી. લોકો ની આસ્થાને ઠેસ પહોંચે છે. તો અહીં વન વિભાગ દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવે તો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકે. આથી સરકારશ્રી દ્વારા વિશાળ શ્રદ્ધાળુઓના હિત માં રસ્તો ચાલુ કરવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.

રીપોર્ટ ભરત લાખણોતરા