આગામી ચૈત્ર માસમાં મણિધર માં મોગલધામ-કબરાઉ (કચ્છ) ખાતે વિશ્વ કલ્યાણ અર્થે 151 કુંડીનો મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ આધ્યાત્મિકતા સાથે એક મોટું સેવાયજ્ઞનું કાર્ય પણ થઈ રહ્યું છે.
રામનવમીના પવિત્ર દિવસે માતપિતા વિહોણી 51 દીકરીઓને સમૂહલગ્નના માધ્યમથી યોગ્ય કરિયાવર સાથે કન્યાદાન આપવાનું બીડું ઝડપ્યું છે સ્ત્રી સશક્તિકરણના હિમાયતી અને મારા આદર્શ માન.શીતલબેન ગઢવી(ઓસ્ટ્રેલિયા) દ્વારા ત્યારે આ નારીશક્તિને નતમસ્તક વંદન કરું છું...
સાથોસાથ તેમના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આપણા દેશમાં અને ઓસ્ટ્રેલિયામાં અનેકવિધ લોકઉપયોગી કાર્યો થઈ રહ્યા છે ત્યારે આપણે સૌ કોઈ સાથે મળી આ નારીપ્રતિભાને બિરદાવીએ અને અભિનંદન આપીએ...
માં મોગલ, માં સોનબાઈની ઈચ્છા હશે તો અમે પણ એક સ્વંયસેવક બની આ ભવ્યાતિભવ્ય સેવાયજ્ઞના સાક્ષી બનશું.....
જેમને મેં ખૂદ *માં* નો દરજ્જો આપ્યો છે એવા ચારણ-ગઢવીના દીકરી શીતલબેન ગઢવી અને તેમના પરિવારને માં સોનબાઈ સદૈવ ખૂશ રાખે અને લોકઉપયોગી કાર્યો કરવાની ખૂબ શક્તિ આપે એજ પ્રાર્થના સાથે....
જય હો સોનબાઈ
કાળુભાઈ વાઘ (રાજુલા-અમરેલી)
મો.9979523520