લોક વિદ્યા મંદિર થોરડી તથા નિવાસી અંધવિદ્યાલય થોરડી તા. સાવરકુંડલા જી.અમરેલી ખાતે ભારતની આઝાદીની ચળવળના મુખ્ય પ્રણેતા અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નિર્વાણ દિનની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
કોવિડ 19ના નિયમોનું યોગ્ય પાલન કરીને સમગ્ર કાર્યક્રમ સાદગીપૂર્ણ રીતે ઉજવાયો હતો. જેમાં ગાંધી ગીત, સ્વચ્છતા અને વૃક્ષારોપણ જેવા રચનાત્મક કાર્યક્રમનું આયોજન થયું હતું.