આજરોજ અમરેલી ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ ભાજપ ના પ્રમુખ સી આર પાટિલ ઉપસ્થિત રહ્યા હતા સરપંચો સાથે વિવિધ ચર્ચાઓ કરી માર્ગદર્શન આપ્યું હતું.

સાથે સરપંચો સંગઠનના હોદેદારો પૂર્વ ધારાસભ્યો સંસદસભ્ય ઉપસ્થિત રહ્યા હતા અમરેલી ખાતે 'સરપંચ સંવાદ' કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના સરપંચશ્રીઓ સાથે સંવાદ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ. આ પ્રસંગે માન. મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી હકુભા જાડેજા, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડીયા, સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા, અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સહકારી આગેવાન શ્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, પીઠાભાઈ નકુમ તથા ધારાસભ્યસશ્રીઓ સહિતના હોદ્દેદારો – આગેવાનો ઉપસ્થિત રહ્યા.