Subscribe Us

રાષ્ટ્ર માતા ગૌ માતા અને આહીર રેજીમેંન્ટના અર્જુન આંબલીયાના આંદોલનને સમર્થન કરવા અખીલ ભારતીય યાદવ મહાસભાના રાષ્ટ્રીય પદાધિકારીઓ રૂબરૂ પહોંચ્યા જંતર, મંતર

દિલ્હી ખાતે આહીર અર્જુન આંબલીયાના ધરણાંને સમર્થન આપવા અખિલ ભારતીય યાદવ મહાસભાના રાષ્ટ્રીય પદાધિકારીઓ રૂબરૂ પહોંચ્યા જંતર, મંતર ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ભારતીય સેનામાં જાતિના નામ થી રેજીમેંટ છે. એવી રીતે આહીર રેજીમેંટનું નિર્માણ થાય તે માટે છેલ્લા ઘણા સમયથી લડતા આહીર અર્જુન આંબલીયાએ જંતર મંતર દિલ્લી પર ધામાં નાખી અનિશ્ચિત સમય ધરણા શરૂ કર્યા છે. ત્યારે આ શાંતિપૂર્ણ ચાલતી લડાઈમાં દરેક સમાજ,ધર્મ, અને દરેક ક્ષેત્રના લોકો યોગદાન આપી સમર્થન કરી રહ્યા છે ત્યારે આજ રોજ અખિલ ભારતીય યાદવ મહાસભાના રાષ્ટ્રીય સચિવ શ્રી રાજેશજી યાદવ, શ્રી મહેસજી યાદવ – રાષ્ટ્રીય સંગઠન મંત્રી,અખિલ ભારતીય યાદવ મહાસભાના આહીર રેજીમેંટ મિશનના રાષ્ટ્રીય સંયોજક શ્રી સાવલરામ જી યાદવ,મુકેશ યાદવ રૂબરૂ પહોંચી સમર્થન આપ્યું હતું.
પોરબંદરના કુતિયાણાથી પણ ગોવિંદભાઈ મારુ તથા રામભાઈ સોલંકી જંતર મંતર પહોંચી આ રાષ્ટ્રહિતની લડતને સમર્થન આપ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ