સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે લોક વિદ્યા મંદિર સ્કૂલ ખાતે વેક્સીનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો.જેમાં આંબરડી પી.એચ.સી સેન્ટરના સંદીપભાઈ, ડૉ. અસ્માબેન તેમજ આંગણવાડીના કાર્યકરો હાજર રહી વેક્સીનેશન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના આચાર્ય અરવિંદભાઈ, હિતેશભાઈ દેસાઈ, મનસુખભાઇ વાળા, દિનેશભાઇ કલસરિયા, સંજયભાઈ પંડ્યા, મેહુલભાઈ, અપૂર્વભાઈ ત્રિવેદી, કુરિયાભાઈ, વિનુભાઈ મુંધવા, આરતીબેન, ભાનુબેન, ગીતાબેન તેમજ સમગ્ર સ્ટાફે વેક્સિનનો 1st ડોઝ લીધો હતો અને બીજા લોકોને પણ વેક્સિન લેવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.