આજરોજ લોક સેવક સંઘ લોક વિદ્યા મંદિર તથા શ્રી નિવાસી અંધ વિધાલય - થોરડી,તા: સાવરકુંડલા,જિ.અમરેલી ખાતે માનનીય ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ની પ્રેરણાથી તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મહેશભાઈ કસવાલા તથા માનનીય પૂર્વ સંસદિય સચિવ તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી ના સહયોગથી "ગ્રામ્યજનો માટે ઓક્સિજન સહાય કેન્દ્ર" નો મહાનુભાવો ની ઉપસ્થિતિ માં પ્રારંભ કરવામાં આવ્યો જેનો લાભ થોરડી તેમજ આજુબાજુના ગામોમાં મળી રહે તેવા હેતુથી આ કાર્ય નો આરંભ કરેલ છે 
      આ કોરોના મહામારી માં ઓક્સિજન ની જરુરીયાત વાળા લોકો ને આ લાભ મળી રહે અને સારવાર મળી રહે તેવા આશયથી આ કેન્દ્ર નો શુભારંભ કરવામાં આવ્યો
      આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મહેશભાઈ કસવાલા તથા દિપકભાઈ માલાણી (ચેરમેન શ્રી માર્કેટીંગ યાર્ડ - સાવરકુંડલા) , પ્રફુલ્લ ભાઈ વેકરીયા (કારોબારી ચેરમેન - તાલુકા પંચાયત - સાવરકુંડલા), તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિદાદા અને શાળા ના આચાર્ય તેમજ સૌ શિક્ષકગણ હાજર રહ્યા હતા.
આ લાભ લેવા માંગતા દર્દી એ ડોક્ટર નો ઓક્સિજન ની જરૂર અંગે નો અભિપ્રાય તથા જરુરી દસ્તાવેજ તેમજ સરપંચ શ્રી નો અભિપ્રાય આપવાનો રહેશે