પાંચાળી આહીર સમાજની વાડી ખાતે તા. 16-05-21 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન.
હાલ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓને લોહી મળવુ ખુબજ મુશ્કેલ બન્યું છે તેમજ સમયાંતરે કાર્યક્રમમાં થતાં રક્તદાન કેમ્પ પણ બંધ થયા છે તેમજ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરતા . રક્તદાતાઓમાં પણ ઘટાડો થયો છે બીજી તરફ સરકાર દ્વારા ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીકરણ માટે આગામી સમયમાં કાર્યક્રમ ચાલુ થવા જઈ રહ્યો છે રસી લીધા બાદ બે મહિના સુધી રક્તદાન કરી શકશે નહીં તેથી રક્તદાન કરવું જોઈએ જેથી લોહીની જરૂરિયાતવાળા દર્દીઓને મદદરૂપ થવાની મદદરૂપ થવાની ભાવનાથી અને પોતાના સ્વજન સ્વ.દીપકભાઈ જીંજાળાની સ્મૃતિમાં તેમના સ્વજનો મિત્રો અને વડીલો દ્વારા આગામી રવીવારે આ બ્લડ કેમ્પ યોજાશે તેમજ યાદવ યુવા ગ્રુપના . રમેશભાઈ કાતરીયા.પ્રવીણભાઈ જીંજાળા, બળુભાઈ મકવાણા,દિલીપભાઈ જીંજાળાએ જણાવ્યું હતું . રાજુલામાં યાદવ યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે આગામી રવીવારે આહીર જ્ઞાતિની વાડી ખાતે આ કેમ્પ યોજાશે . રાજુલામાં વાવેરા રોડે આવેલ આહીર જ્ઞાતિની વાડીમાં દ્વારા સ્વ.દીપકભાઈ જીંજાળાની સ્મૃતિમાં આહીર સમાજ સમૂહલગ્ન સમિતિ રાજુલા , આહિર ફેમિલી ક્લબ , તેમજ ડૉક્ટર હેડગેવાર સેવા સમિતિ રાજુલા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે.