આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલ લોક વિદ્યા મંદિર મા.શાળા તથા નિવાસી અંધ વિદ્યાલય થોરડી માં ડૉ. રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.
            
             જેમાં ધોરણ ૬ થી ૮ નિવાસી અંધ વિદ્યાલય તેમજ લોક વિદ્યા મંદિર પ્રા.શાળાના બાળકો, ધો. ૯ થી ૧૨ લોક વિદ્યા મંદિર મા. તથા ઉ. મા. શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ તમામ વિષયના સંપૂર્ણ અને સરસ રીતે આખો દિવસ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.
           તાસ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને કેવો અનુભવ થયો જે શિક્ષકો બન્યા હતા તેને કેવો અનુભવ થયો તે માટે ૩૦ મિનિટનો કાર્યકમ કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકશ્રી હિતેશભાઈ દેસાઈ, જાયલબેન ભાલાળા દ્વારા શિક્ષકદિન વિશે માહિતી આપવામાં આવી તેમજ અપૂર્વભાઈ ત્રિવેદી દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.